જે જીવે અનંતભવોનાં કારણભૂત મીથ્યાત્વરૂપી બીજને છેદીને સાદીઅનંત સુખમય સમાધિમાં રહી શકાય એવા સિધ્ધપદને પ્રાપ્ત કરવાનું મહાન કાર્ય ઉપાડયું છે તેને પરિણામોનો વિવેક સહેજે હોય છે. ધર્મીજીવને પણ અશુભભાવથી બચવા સહેજે શુભ પરિણામો આવ્યા વિના રહેતા નથી છતાં મુમુક્ષુ જીવને કે ધર્મીજીવને લક્ષ એકમાત્ર આત્મશાંતિનું જ રહે છે. રાગ ઘટાડવાનો, કષાય ન કરવાનો, અશુભ ભાવો નહીં કરવાનો, શુભ કરવાનો આગ્રહ એમને હોતો નથી. તેને કારણે કોઈ કૃત્રિમ પ્રયાસ હોતો નથી. કર્તૃત્વભાવ છૂટી સહેજે જ્ઞાતાધારારૂપ પરિણમન શરૂ થાય છે. આકૂળતા ઘટે છે. જ્ઞાનની નિર્મળતા વધતાં અંતરસૂઝ આવતી જાય છે. તેને કારણે સહેજે વિવેક રહે છે.
વિવેક રાખવાનો પ્રયત્ન દર્શનમોહ વધારે છે જયારે સહેજે વિવેક રહે એવું તો દર્શનમોહ ઘટતો હોય ત્યારે જ બને છે.
No English rendering yet.