જેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિની ભાવના છે તેને મિથ્યાદર્શન ટાળવાની ભાવના હોય જ કારણ કે અસ્તિ નાસ્તીપૂર્વક હોય છે એક સિક્કાની બે બાજુની જેમ. તેથી જેને દ્રવ્યદૃષ્ટિ કરવી છે તેણે દ્રવ્યદૃષ્ટિ કેમ થાતી નથી તેનાં કારણો તપાસવાં પરિણામોનું અવલોકન કરવું જ પડશે.
જેને નિર્વિકલ્પ થાવું છે તેણે વિકલ્પની ઉત્તપત્તિ કેમ થઇ રહી છે તેનાં કારણો તપાસવા જ પડશે. ભૂલ શોધવી જ પડશે.
જેને વીતરાગ થાવું છે તેને કયાં રાગ વર્તે છે - ઠીકપણું થઇ રહ્યું છે અથવા કયાં દ્વેષ વર્તે છે અઠીકપણું ભાસે છે તે તપાસવું રહ્યું.
ભ્રાંતિ - ભૂલ - કલ્પના - દોષ - દુર્ગુણ જાણ્યા વિના નિભ્રાંતદશા પવિત્રતા - સત્ય - નિર્દોષતા ગુણોની પ્રાપ્તિનો પુરુષાર્થ કેમ ઉપડે-અંતર્મુખ કેવી રીતે થાય - સ્વાનુભવ કેમ પ્રગટે?
વીતરાગનો માર્ગ ઘણો ગંભીર છે. ઘણીજ સમતુલા રાખવાની છે. દ્રવ્યદૃષ્ટિ જ કરવી છે પર્યાય ને જોવી જ નથી એવો દુરાગ્રહ સેવનારને કદીય દ્રવ્યદૃષ્ટિ થવાની નથી. ભલે ભાવના ગમે તેટલી વિકલ્પમાં કર્યા કરે.
વીતરાગતા - સમ્યગદર્શનનું અંગ છે. ચારેય અનુયોગનું તાતપર્ય વીતરાગતા જ છે. દ્રવ્યદૃષ્ટિનો રાગ અને પર્યાયબુધ્ધિનો દ્વેષ છે ત્યાં સુધી વીતરાગતા નથી, ત્યાં સુધી સમ્યગ્દર્શન પણ નહિ થાય. તેથી જ સોગાણીજી ફરમાવે છે કે ‘મુઝે ધ્યાન ભી નહિ કરના હૈ’. ધ્યાનનો મોહ શા માટે?
દ્રવ્યદૃષ્ટિની ઈચ્છા દ્રવ્યદૃષ્ટિમાં બાધક છે. અંશમાત્ર ઈચ્છા - રાગ છે ત્યાં સુધી વીતરાગતાની પ્રાપ્તિ અસંભવ છે.
“તેથી ન કરવો રાગ (અને દ્વેષ પણ) કયાંય પણ મોક્ષેચ્છુએ”.
વીતરાગ થવા ઇચ્છનારે વીતરાગતાનો જ પુરુષાર્થ કરવો સમતુલા જાળવવી.
No English rendering yet.