રાગ દુઃખરૂપ હોવા છતાં દુઃખરૂપે કેમ વેદાતું નથી?
સમાધાન: કારણ કે જીવ જ્ઞાનનો ઉપયોગ રાગ ઉપર લઇ જતો નથી. અર્થાત જીવ અજ્ઞાનપણે સ્વચ્છંદ પ્રમાદ સેવે છે. જો નિજદોષોનું અવલોકન કરે તો દુઃખ થયા વિના રહે જ નહિ. તેથી પ્રથમ અવલોકન વડે ભાવકર્મોને જોતાં નુકસાન ભાસે, મુંઝવણ થાય તો પાત્રતા ઉત્પન્ન થાય.
No English rendering yet.