જ્ઞાન ૧૧ અંગ ૯ પૂર્વ જેટલું વિકસિત હોય તો તે જ્ઞાનવરણીય કર્મનો ક્ષયોપશમ છે. તેમ પંચમહાવ્રત ૨૮ મૂળગુણપૂર્વક શુધ્ધ ચારિત્ર હોય તે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે.
જ્ઞાનાવરણીય કર્મ કે ચારિત્ર મોહનીય કર્મનાં ક્ષયોપશમથી ઇન્દ્રિયજ્ઞાન વિકસીત દેખાય અને કષાય અતિમંદ હોય પરંતુ તેથી કાંઈ સ્વભાવનું ભાવભાસન ન થઇ શકે.
સ્વભાવના ભાવભાસનમાં દર્શનમોહનીય કર્મનાં ક્ષયોપશમથી દર્શનમોહની મંદતાપૂર્વક અંતર અવલોકનપુર્વક ભેદજ્ઞાન અપેક્ષિત છે. શુધ્ધ અંત: કરણ વિના-દર્શનમોહનું બળ વર્તે છે ત્યાં સુધી જીવ સમ્યક્ પ્રકારે નિજ અવલોકન - ભેદજ્ઞાનનો પ્રયોગ કરી શકતો નથી, ભલે જ્ઞાન વિકસીત હોય કે કષાય મંદ હોય.
જ્ઞાન અલ્પ હોય અને બાહ્ય કષાયની મંદતા ન દેખાતી હોય છતાં શુધ્ધ અંત: કારણ અને ચૈતન્યની યથાર્થ ભાવનાપૂર્વક ચાલતાં પરિણામોનાં અવલોકનથી કષાય રસ ઘટીને ભેદજ્ઞાન ઉત્પન્ન થવરૂપ યોગ્યતાનું નિર્માણ થઇ શકે છે. અહો! બાહ્ય ફેરફારો કર્યા વિના અંતરથી પલટાઈને સરળતાથી શાંતિ પ્રાપ્ત કરવાનો કેવો સુંદર મોક્ષમાર્ગ છે!
No English rendering yet.