સત્સંગ, ભક્તિ, પૂજા, શાસ્ત્ર શ્રાવણ, વાંચન, ચિંતન, મનન ઘોલન આદિ લાભકારી છે એવું મુમુક્ષુ કહી શકે કારણ કે હાજી એને આત્માનુભવ થયો નથી તેથી આત્મલક્ષે થનારી ઉપરોક્ત ક્રિયાવો થકી પોતાની આત્મભાવના વધે છે અને સંસારનો રસ ઘટે છે તેવો અનુભવ એને થાય છે.
પરંતુ જ્ઞાનીઓ પોતાના આત્મદ્રવ્યની જ માહિમમાં એવા ડૂબી ગયા છે કે અનંત સિધ્ધોથી પણ પોતાને અધિક ગણે છે. જેવું અંતર અનુભવાય છે તેવું જ બહાર વાણીમાં છલકાઈ જાય છે આત્મમહીમાથી છલકાયેલી વાણીમાં ‘સહજાત્મસ્વરૂપ સર્વજ્ઞદેવ પરમગુરૂ’, ‘શિવરમણી રમનાર તું તું હી દેવનો દેવ’, ‘નિશ્ચયથી પોતાનું આત્મદ્રવ્ય જ પંચપરમેષ્ટિ સ્વરૂપ છે’, ‘સર્વ જીવ છે સિધ્ધસમ’, ‘શુધ્ધ, બુધ્ધ ચૈતન્યઘન સ્વયઁ જ્યોતિ સુખધામ’, અમે તો બધ્ધાને સિધ્ધપણે જ દેખીએ છીએ’ આવા વીતરાગ વચનો સહેજે નીકળ્યા છે. જ્ઞાનીને મુમુક્ષુને દૃષ્ટિમાં રાખીને પર્યાયનાં ક્રમિક વિકાસ ઉપર (૧) ભવભ્રમણની ચિંતના - વેદના - ઝુરણાં (૨) પૂર્ણતાનું લક્ષ (૩) અવલોકન (૪) ભેદજ્ઞાન (૫) ભાવભાસન (૬) સમ્યગ્દર્શન (૭) શ્રાવકદશા (૮) નગ્ન દિગંબર ભાવ મુનિદશા કે પૂર્ણવીતરાગ કેવળજ્ઞાન યુક્ત પરમાત્મદશાની મહિમા વધારે અને જેનાં લક્ષે આ બધો વિકાસ સહેજે થાય તેવા ત્રિકાળીધ્રુવ પરમાત્માની મહિમા ઓછી કરવામાં શું પ્રયોજન છે?
જ્ઞાનીને તો પોતાથી વિશેષ ગુણવાનનો સંગ કરવાનું રૂચે. વીતરાગતા વધે, રાગ (ચારિત્રનો) ઘટે એવો સત્સંગ રૂચે તેને બદલે મુમુક્ષુનો સંગ કેમ રૂચે? જ્ઞાની મુમુક્ષુને ઈચ્છે કે મુમુક્ષુ જ્ઞાનીને ઈચ્છે?
જ્ઞાની મુમુક્ષુને ઈચ્છે તો ખચીત નીસ્પૃહતા નથી જ.
પૂ. બહેનશ્રી વચનામૃત ૨૨૯માં ફરમાવે છે કે લૌકિક જનોનો અધિક સંગ તારી પરિણતિ મંદ પાડવાનું કારણ બનશે. અચાનક ઉદય માં આવી પડેલાં અસત્સંગને તો ઉદાસીનભાવે કદાચિત નભાવી લે પરંતુ પોતે સામે ચાલીને પોતાથી ઓછી યોગ્યતાવાળાનો સંગ ન કરે.
No English rendering yet.