Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 65

‘પૂર્ણતાનું લક્ષ’ બંધાયા પહેલાં ચાલતાં પરિણામોનાં અવલોકનમાં પોતાનાં દોષોને જોવા પડે છે, ગોતવા પડે છે. પરંતુ લક્ષ બંધાયા પછી જે અવલોકન ચાલે તેમાં દોષો સહજપણે દેખાઈ જાય છે. સહજપણે જણાતા દોષો જીવને વધારે સાવધાન કરે છે અને ઉદયનાં પ્રસંગોમાં ઉદાસીનતા લાવે છે. ઉદાસિનતામાં એને સાંસારીક પ્રતિબંધક ભાવો મંદ થયા હોવાથી સદગુરૂનાં વચનની પાછળનો આશય સમજાય છે અને સદગુરૂ - સત્સંગ પ્રત્યે ઓળખાણપૂર્વક અપૂર્વ ભક્તિભાવ સહજપણે પ્રગટે છે. આવી ભક્તિ દર્શનમોહને વધારે ગાળે છે જેથી જ્ઞાન વધુ સૂક્ષ્મ બની અંતર્મુખી વલણને ધારણ કરે છે જે ભેદજ્ઞાનપૂર્વક સ્વરૂપનીશ્ચય (ભાવભાસન) સુધી જીવને સહજમાત્રામાં પહોંચાડે છે. ભાવભાસન થતાં જ ચૈતન્યવીરની એવી સ્ફુરણા ઉપજે છે કે વધુમાં વધુ છ મહિનામાં સ્વાનુભૂતિ થાય જ.

No English rendering yet.