હે જીવ! સ્વસંવેદન પ્રત્યક્ષ સ્વાત્માનુભૂતિ વિના જન્મમરણનાં અનંત દુઃખોથી બચવાનો અન્ય કોઈ ઉપાય જ નથી તેથી હવે તું એટલું જ વિચાર કે આત્માનો અનુભવ કરવો છે કે નહિ? કરવો છે તો કયારે કરવો છે? સ્વાનુભવની કળાની જાણકારી છે કે નથી? નથી તો કોઈ સદગુરૂને ગોતી જાણકારી મેળવવી છે કે નહિ? જાણકારી મળ્યા છતાં કાર્ય (પુરૂષાર્થ) ન થતું હોય તો પૂર્ણતાનું લક્ષ બંધાવું છે કે નહિ? પૂર્ણતાનું લક્ષ બાંધવાં સમાજ, કુટુંબ, દેહ અને સંકલ્પવીકલ્પોનાં પ્રતિબંધો દૂર કરવાં છે કે નહિ? પ્રતિબંધો દૂર ન થતાં હોય તો આત્મલક્ષપૂર્વક નિરંતર સત્સંગની ઉપાસના કરાવી છે કે નહિ? માત્ર ભાવના કર્યા કરાવી છે કે પ્રયોગાભ્યાસથી રસ્તે ચડવું છે?
શુધ્ધ અંતઃકરણ વિના જિનેશ્વરદેવે બોધેલાં વીતરાગી સન્માર્ગનાં રસ્તે ચડી શકાતું નથી તેથી હે જીવ! તું સુવિચારણામાં આવીને નિર્ણય કર, ‘કર વિચાર તો પામ’.
‘જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજજ્ઞાન’.
‘પ્રથમ નિર્ણયનો વજ્રસ્તંભ તો નાખ.... એ વિના એકેય પગલું આગળ વધી શકાય એમ નથી’. (પરમાગમસાર ૨૧૮)
No English rendering yet.