શ્રી સર્વજ્ઞદેવ પ્રકાશિત વીતરાગમાર્ગ આશ્ચર્યકારી છે. આ માર્ગમાં પરને કે રાગાદિ વિભાવભાવોને હટાવવા નથી. માત્ર પોતાનું લક્ષ (જ્ઞાનોપયોગ) ફેરવી ત્રિકાળી ધ્રુવ જ્ઞાન સામાન્યમાં લઇ જવાનું છે. ઉપયોગ એક સેકંડ માત્ર પણ સ્વરૂપને જાણે તો સર્જાય છે ચૈતન્ય ચમત્કાર! અભિપ્રાયપૂર્વકની ઈચ્છા-વાસના-અપેક્ષા બધી સ્વરૂપનાં દર્શનમાત્રથી જ ભસ્મીભૂત થઇ જાય છે અને અતીન્દ્રિય શાંતિ અનુભવમાં આવે છે.
No English rendering yet.