અંતરની સાક્ષીમાં હું જ્ઞાયક... જ્ઞાયક..... છું, રાગાદિ તે હું નથી-એમ સંસ્કાર નાખે તેને કાર્ય થવાનું જ છે.
કાષાય આવે તેને જણાવો એ તારી પ્રભુતા છે, કાષાયને કરવો ને કશાય મારા છે એમ માનવું-એ તારી પ્રભુતા નથી, પામરતા છે.
- પૂ. ગુરૂદેવ શ્રી કાનજીસ્વામી
ધન્ય તે મુમુક્ષુ દશા!
મુમુક્ષુની દશા અલૌકિક આશ્ચર્યકારી હોય છે. એની ઉદાસીનતા, એની બેચેની, બીજાને પણ દેખાઈ જાય એટલી બધી હોય છે. જ્ઞાનીનો વૈરાગ્ય કદાચિત્ ન પણ દેખાય પરંતુ મુમુક્ષુનો વૈરાગ્ય તો દેખાય જ. પરિણામોનો વિવેક અજ્ઞાનીને હોતો નથી કારણ કે એને આત્માની દયા/ચિંતા/દરકાર હોતી નથી. તેને તો રસપૂર્વક સંસારની ઉપાસના ચાલુ જ છે. તેથી પરિણામોનો વિવેક ક્યાંથી રહે? (અવીરતિ) જ્ઞાનીને પણ વિવેક (પરિણામોની સંભાળ) દેખાતો નથી કારણ કે પર્યાયબુધ્ધિ જ રહી નથી. દ્રવ્ય દૃષ્ટિના જોરમાં કર્તૃત્વ/મમત્વ/એકત્વ બુધ્ધિ જ નાશ પામી છે. ‘આમ કરું કે આમ ન કરું’. એવી વીધિ અને નિષેધની વિકલ્પજાળથી જ્ઞાની મુક્ત થઇ ગયા છે. રાગ પણ પૂર્વકર્મના ઉદય અનુસાર તેની તે કાળની પર્યાયની યોગ્યતા પ્રમાણે સહજ થઇ જાય છે. જેને જ્ઞાની માત્ર જાણે જ છે. તેથી એમના પરિણમનમાં વિવેક ન દેખાય.
જયારે મુમુક્ષુની વાત જ ન્યારી છે. સતત પોતાના દોષોનું અવલોકન ચાલે છે. ક્ષણે ક્ષણે થતા ભાવભરણની આકૂળતા વેદાતાં એટલી ઉદાસીનતામાં વર્તે છે કે જરા પણ નુકસાનવાળા ભાવો ઉપજે તો તરત નિષેધ/ખેદ અંતરથી આવે છે. જ્યાં પોતાની જાગૃતિ છૂટે છે તેવા પ્રસંગોમાં મુમુક્ષુ જતો નથી. જાવું પડે ત્યાં અદ્દભુત નિશ્ચય અને વિશેષ જાગૃતિપૂર્વક એનો અવલોકનનો પુરુષાર્થ ચાલે છે. તેથી પરિણામોનો વિવેક, જાગૃતિ, વૈરાગ્ય, નીરસતા, ઉદાસીનતા સહેજે એનામાં હોય છે.
સારા મુંકેશુની ભૂમિકા એટલી સુંદર હોય છે કે એનું પરિણમન જોઈ સંસારી જીવોને પણ સહેજે સત્સંગ/શ્રીગુરૂનો મહિમા આવે છે. એનું પરિણમન/સંવેગ/ભાવના જોઈ સંસારી જીવોની એના પ્રત્યેની અપેક્ષા છૂટી જાય છે તેથી સંસારી જીવોનો પ્રતિબંધ આપમેળે છૂટી જાય છે. માર્ગ મોકળો થઇ જાય છે. અરે! ચૈતન્યમાંથી નીકળેલી એની શુધ્ધ ભાવના ને લીધે તો કુદરત પણ ઝૂકી જાય છે. હસ્તરેખા પણ બદલાઈ જાય છે. દિનબંધુની કૃપા જ એવી છે કે છૂટવાની ભાવનાવાળાને બાંધવો નહી.
-શ્રદ્ધેય શ્રી દેવચંદ કલ્યાણજી શાહ.
ધન્ય છે પરમકૃપાળુદેવની મુમુક્ષુ દશા!
પૂર્વ સંસ્કારવશ સહજ વૈરાગ્યની વૃધ્ધિ થતાં પરમ કૃપાળુદેવે જયારે પાત્રાંક ૧૦૮ થી અવલોકનનો પ્રયોગ શરૂ કર્યો ત્યારથી માત્ર સાડા ત્રણ માસમાં જ પાત્રાંક ૧૨૮ પ્રમાણે પૂર્ણતાનું લક્ષ બંધાયું. આ લક્ષનાં કારણે વર્તમાન ક્ષણે દોષોને નિષ્પક્ષપાત પણે ચાલતા અવલોકનથી આગળ વધીને એ દોષોના નાશ માટેની કળા શીખવા એમણે સત્સંગ તેમજ પ્રત્યક્ષ સદગુરૂનાં ચારણ સમીપે રહેવાની અપૂર્વ ભાવના ઉપજી. પાત્રાંક ૧૨૮ માં મૂંઝવણભર્યા હૃદયથી લખે છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ અર્થાત એવા સંતો ક્યાં છે કે જેની આશ્રય ભાવનામાં રહીએ?
શુધ્ધ ભાવના પૂર્વકની આ અંતરનાં પોકારનાં ફળ સ્વરૂપે પૂર્વે સાંભળેલી પ્રત્યક્ષ દેશનાથી પ્રાપ્ત દેશનાલબ્ધિ જાગી અને જાતિસ્મરણ હોવા છતાં જે ભેદજ્ઞાન વીધિ-સ્વાનુભવવીધિ-વિસરાઈ ગયેલી તે સ્મરણમાં આવી. સદગુરૂ સાક્ષાત્ મળે અથવા દેશનાલબ્ધિનું સ્મરણ થાય એ બેમાં વસ્તુતઃ જરાયે ફેર નથી કારણકે જરૂરત તો દોષોના નાશ માટે અવલોકનથી આગળ વધીને ભેદજ્ઞાન મંત્ર મેળવવાની હતી.
ભેદજ્ઞાન મંત્રની આરાધના વિના સમ્યગ્દર્શન ન થાય તેમજ અભિપ્રાય પૂર્વક તમામ દોષોનો અભાવ ન થાય.
અવલોકનની વીધિ તો માત્ર સ્વરૂપદર્શનને રોક્વાવાળા વિભાવ દોષને જોવાની વીધિ છે. દોષના નાશ માટે તો ભેદજ્ઞાન વીધિજ જોઈએ.
આમ કૃપાળુદેવની આરાધના અવલોકન-પૂર્ણતાનું લક્ષ-સદગુરૂની ભાવના-દેશનાલબ્ધિ- ભેદજ્ઞાનમંત્રની મોક્ષમાર્ગમાં અનિવાર્યતાનું જીવંત ઉદાહરણ છે.
-શ્રદ્ધેય શ્રી દેવચંદ કલ્યાણજી શાહ.
સ્વાધ્યાય તે શાસ્ત્રવાંચન/શાસ્ત્રાભ્યાસ નથી
સ્વ+અધ્યાય=સ્વાધ્યાય.
સ્વ એટલે કે આત્મા અર્થાત સ્વ પણે અનુભવાતું - જણાતું જ્ઞાન.
અધ્યાય એટલે વારંવાર કરવામાં આવતો પ્રયોગ/અભ્યાસ/અધ્યયન. પૂ. ગુરૂદેવશ્રી તો વારંવાર જાહેરમાં ફરમાવતાં હતાં કે મુમુક્ષુજીવે દરરોજ ઓછામાં ઓછા ચાર કલાક સ્વાધ્યાય કરવો જોઈએ. એનો અર્થ જ એમ છે કે જ્ઞાનને પોતાપણે અનુભવવાનો પ્રયોગ ખરેખર તો દિનરાત ચાલવો જોઈએ પરંતુ પૂર્વકર્મનાં ઉદય વશ લાચારીથી નિરંતર જાગૃતિ ન રહે તોય ચાર કલાક તો અભ્યાસ કરવો જ જોઈએ. પરંતુ જીવ જ્ઞાનીનાં વચનનો આશય ન સમજીને અંતર પ્રયોગને બદલે શાસ્ત્રવાંચનને સ્વાધ્યાય સમજી લે છે. પૂ. ગુરૂદેવશ્રીને પણ મુમુક્ષુઓની આ ભૂલનો ઘણો રંજ હતો. પૂ. બહેનશ્રીનાં વચનામૃત નં. ૨૪ ઉપર વ્યાખ્યાન આપતાં (તા. ૧૨-૬-૭૮) કહેલું “બહારનાં ક્રિયાકાંડમાં લોકોને રસ લાગી ગયો છે, ને આ અંદરની વસ્તુ રહી ગઈ છે..... વસ્તુસ્વરૂપ સમજ્યા વિના જીવને પાધરો ધર્મ કરવો છે. ”
-શ્રદ્ધેય શ્રી દેવચંદ કલ્યાણજી શાહ.
“શાસ્ત્રોનાં શબ્દો વિના હૈયા ઉકેલ થઇ જવો જોઈએ. ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજૂં ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહીં..... અન્ય સર્વ વિકલ્પો છૂટી જાય અને અધ્ધરથી આત્મા સંબંધી જ વિચારો ચાલ્યા કરે અને વળગ્યા જ રહે. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. પ્રયોગ તો એણો જ કરવો પડે છે... વિશ્વાસ આપવો જોઈએ. બીજી બીજી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે?..... આનો અભ્યાસ વારંવાર જોઈએ. ”
- પૂ. ગુરૂદેવ શ્રી કાનજીસ્વામી. “દૃષ્ટિનાં નિધાન” વચનામૃત. -
No English rendering yet.