પૂ. ભગવતીમાતા વચનામૃતમાં યથાર્થ ફરમાવે છે કે “અનેકાંતનું જ્ઞાન કર તો તારી સાધના યથાર્થ થશે’.
એક બાજુ પરમકૃપાળુદેવ નિજદોષોને નિષ્પક્ષપાતપણે જોવાનું અને પાત્રતામાં આવી સ્વચ્છંદ છોડવાનું જણાવે છે જ્યારે પૂ. ગુરૂદેવશ્રી પર્યાયની દૃષ્ટિ સમૂળી છોડી માત્ર ત્રિકાળી જ્ઞાનમાત્ર આત્મદ્રવ્યની દૃષ્ટિને જ એક માત્ર મુક્તિનો ઉપાય બતાવે છે.
એક બાજુ કૃપાળુદેવ પ્રત્યક્ષ સત્પુરૂષની ઓળખાણ વિના આત્માની ઓળખાણ ન થાય એમ જણાવે છે જયારે બીજી બાજુ ગુરૂદેવશ્રી એક એક દ્રવ્ય અને તેની પ્રત્યેક પર્યાયને અહેતુક સ્વતંત્ર ગણાવે છે, નિરપેક્ષતા - સ્વતંત્રતાનો ઢંઢેરો પીટે છે.
અનેકાન્તનું જ્ઞાન થતાં જ પરસ્પર વિરુધ્ધ જણાતાં વચનોમાં છુપાયેલો એક જ આશય - આત્મહિતનો આશય - જણાય છે. એકજ જ્ઞાનીનાં જુદી જુદી અપેક્ષાથી કહેવાતાં બે પરસ્પર વિરૂધ્ધ વચનોનું રહસ્ય પણ અનેકાન્તના જ્ઞાન વિના નહીં સમજી શકાય.
જયાં સમજણ અધૂરી છે ત્યાં પ્રયોગ - અવલોકન અને ભેદજ્ઞાનનો પુરૂષાર્થ - કેવી રીતે થઇ શકે?
અર્થાત્ યથાર્થ સમજણમાં જ સાધ્યની સિધ્ધિ ગર્ભિત છે.
No English rendering yet.