‘મારામાં ભાવના ઓછી છે’, ‘મારામાં પુરૂષાર્થની ઓછપ છે’, ‘હું એટલો બધો દોશી છું કે છૂટી શકાશે નહિ’, ‘હું ઘણો પામર છું’, મારું અવલોકન યથાર્થ ચાલતું નથી ‘, ‘ઉદયમાં હું ફસાઈ જાઉં છું’, ‘હું સ્વલક્ષી નથી, કારણ કે પરિણામોમાં પરપંચાયતી ચાલે છે’, ‘હું અવલોકન કરીશ તો સંસારિક વ્યવસ્થા છિન્નભિન્ન થઇ જાશે’, ‘મારે અવલોકન કરવું છે, પણ હમણાં નહી’, ‘હું મારા દોષો બતાવીશ પણ શ્રીગુરૂ નારાજ થાશે તો’, ‘અમુક દોષો બતાવીશ તો શ્રીગુરૂ નું સન્માન નહિ જળવાય તો? ’ ‘અવલોકન કરતા મારામાં દોષ થવા જ ન જોઈએ ‘.
અવલોકનને આરાધતાં આવા અગણિત ભાવો મુમુક્ષુને આવશે છતાં બધાં ભાવોને શ્રીગુરૂ સમક્ષ વ્યક્ત કરીને યોગ્ય માર્ગદર્શન લેવું ઘટે. પોતાની સમજ/નિર્ણયની યથાર્થતા વિશે શ્રીગુરૂનાં અભિપ્રાય જાણીને નિઃશંક થવું ઘટે. અવલોકન કરતાં કરતાં એક પણ નવો જૂઠો નિર્ણય ન થઇ જાય એની દરકાર રાખવી જોઈએ. પોતાનો પોતા વિષેનો અભિપ્રાય યથાર્થ નહીં ઘડાય તો પોતાને ઘણું નુકસાન થાશે.
જ્યાં શ્રીગુરૂ અત્યંત કરુણા વરસાવી જ રહયાં છે, પોતાનું સર્વસ્વ ખજાનો-લૂંટાવી રહયાં છે ત્યારે આવી સુંદર તકનો સદુપયોગ કેમ ન કરવો? પોતે પૂછવામાં/માંગવામાં ચુકશે તો પોતાની જ પ્રગતિ રૂંધાશે. તરસ લાગી હોય તે ચૂપ/મૂંગો કેમ રહી શકે?
કૃપાળુદેવે યથાર્થ જ ફરમાવ્યું છે કે જગતનાં અભિપ્રાયથી અનાદિથી ચાલ્યો તેથી જીવને નુકસાન થયું છે હવે જ્ઞાની પુરૂષનાં અભિપ્રાયે ચાલે તો અવશ્ય જ્ઞાની થાય/સુખી થાય.
No English rendering yet.