અવલોકનમાં વર્તમાન દોષો દેખાય ત્યારે દોષો ન કરવાનો પ્રયત્ન કરવો તે એક નવો દોષ છે. કારણ કે સ્વભાવ પૂર્ણ નિર્દોષ હોવા છતાં દોષને પર્યાયમાં નિહાળી પોતાને (નિજપરમાત્મતત્વને) દોષી માનવો તે એક મહાન ભ્રાંતિ છે. સ્વરૂપનો અનાદર છે. પોતાને પરમેશ્વર પદે ન સ્થાપવું તે જીવનો સૌથી મોટો મિથ્યાત્વનો દોષ છે. જૈનદર્શનમાં કર્તૃત્વભાવે દોષનાં ત્યાગનું સ્થાન જ નથી. પરંતુ આત્મ સ્વરૂપમાં લીનતા દ્વારા ઉત્પન્ન જ્ઞાતૃત્વભાવ કેળવાઈ જતાં દોષો આપમેળે ઉત્પન્ન જ થતાં નથી.
No English rendering yet.