Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 117

પોતે અનંત દોષોથી ભરેલો છે, પોતે પામર છે, પોતે શ્રીગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલતો નથી, પોતે અનંતકાળથી આથડે છે, પોતાને મોહ/રાગદ્વેષનાં પરિણામ વર્તે છે, પોતાને આત્માની દયા/ચિંતા નથી, પોતાને સંસારનો જ પ્રેમ છે, ઇત્યાદિ જે કાંઈ પણ પોતા વિષેનો નિર્ણય કરવો હોય તે માત્ર શ્રીગુરૂનાં વચન સાંભળવાથી જ નિર્ણય ન થવો જોઈએ, પરંતુ વચન સાંભળીને પોતાનાં ચાલતાં પરિણામોમાં દોષોના અવલોકન વડે પોતે પોતાના અનુભવથી નિર્ણય કરવો જોઈએ.

એમ નહીં કરવામાં આવે તો માત્ર બુધ્ધિના આધારે લેવાયેલો નિર્ણય સાચો હોવા છતાં અયથાર્થ હોવાને લીધે જીવને સાચો વૈરાગ્ય નહિ આવે. તેમજ શુદ્ધ અંતઃકરણની ભાવના પણ નહીં જાગે. ચૈતન્યની શુદ્ધ ભાવના જ નથી તો પછી મોક્ષમાર્ગમાં એક પગલું પણ કેવી રીતે ભરી શકાશે?

No English rendering yet.