Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 49

ભવિષ્યનાં અનંત જન્મમરણને નોતરનારાં શુભ-અશુભ ભાવો વર્તમાનમાં અજ્ઞાનવશ સહજપણે થઇ રહ્યાં છે એનું અવલોકન-માત્ર અવલોકન કરવમાં આવે તો જીવને ચિંતા ઉપજ્યા વિના ન રહે. એને એ ચિંતાનું સમાધાન ન મળે તો વેદના થઇ ક્રમે ઝૂરણાં આવ્યા વિના ન રહે. આવી મૂંજવણ સહજ ઉત્પન્ન થવી એ મુમુક્ષતાની ખરી શરૂઆત છે. આની પહેલાં ગમે તેટલાં લાંબા સમયનો સત્સંગ તેમજ મંદકષાય યુક્ત આચરણ થયું હોય તો પણ મુમુક્ષતાની શરૂઆત જ થઇ નથી. મૂંઝવણ ન હોય તો સત્સંગ ભક્તિ - પૂજાનો અર્થ શો? સતસંગાદિ તો આત્મશાંતિને અર્થે જ થવા ઘટે. માત્ર ચીલાચાલુ ઘરેડ બને તેથી ભવભ્રમણ અંશમાત્ર પણ ઘટે નહિ.

No English rendering yet.