સાધકની ડાયરી - ‘સહજ ચિંતન’
(લેખકનાં અન્ય ચૂંટેલા આધ્યાત્મિક લાખનો)
આ દુ: ષમ પંચમકાળમાં જયાં પરમ સત્સંગ અને સત્સંગની અતિ દુર્લભતા છે એવા સમયમાં જીવે માત્ર શુધ્ધ અંતઃકરણની પરિપૂર્ણ આત્મશાંતિની ભાવનામાં રહી શકય એટલો સત્સંગ ઉપાસવો. સાધર્મી કે ગૃહસ્થ જ્ઞાનીઓનું ઉપજીવન સંપૂર્ણપણે શુભમય હોય એવું ઇચ્છનીય હોવા છતાં મુમુક્ષુજીવે એનો આગ્રહ કદાપિ સેવવો નહિ. એવો આગ્રહ (કદાગ્રહ) શુભભાવોની રૂચિરૂપ મિત્યાત્વનાં પરિણામ છે જેનું નુકશાન જીવે પોતે જ ભોગવવું પડશે. જે થોડા અંશમાં સત્સંગ મળે છે એ પણ ગુમાવી દેવાશે. અન્ય જીવ અશુભભાવમાં હોય કે શુભભાવમાં એનું ફળ એ જીવને ભોગવવાનું છે. પરંતુ શુભના આગ્રહથી આત્મકલ્યાણકારી સત્સંગ ગુમાવવાનું નુકશાન તો જીવે પોતે જ ભોગવવું પડશે. ‘પૂર્ણતાનું લક્ષ’ બાંધ્યા વિના જીવને પ્રયોજનની યથાર્થ પક્કડ આવતી નથી. વિવેક જાગૃત થાતો નથી તેથી ઘણીવાર કર્મોદયજનિત ઉદય પ્રસંગોમાં જોડાઈ જવાથી વિવેક ગુમાવી દેતા મનુષ્યભાવ વેડફાઈ જાય એટલું નુકશાન થઇ જાય છે.
No English rendering yet.