પૂ. ગુરૂદેવશ્રીએ ફરમાવેલ છે કે રાત્રિભોજનનો ત્યાગ કરવામાં નોકરી બાધારૂપ થતી હોય તો નોકરી પણ છોડી દૈવી. કંદમૂળાદીનો ત્યાગ ન હોય તે જીવ જીનવાણીનાં શ્રવણને પણ પાત્ર નથી.
આવું સાંભળી કોઈ કર્તાબુધ્ધિથી ત્યાગ કરવાનો પ્રયાસ કરે તો તે પૂ. ગુરૂદેવશ્રીનાં આશયને સમજયો નથી. કારણ કે પૂ. ગુરૂદેવશ્રીએ જ ફરમાવેલ છે કે ભાઈ! તું ચારિત્ર શુદ્ધિનો પ્રયત્ન કરે છે તે કરતાં પહેલાં દર્શનશુધ્ધિનો પ્રયાસ કર.
મૂળમાં રહસ્ય એમ છે કે જે જીવને માત્ર આત્મા જ જોઈએ છે તેની આચરણ શુધ્ધિ કદાચિત્ ન હોય તો પણ જીનવાણીનાં શ્રવણને પાત્ર થવાયોગ્ય ભાવશુધ્ધિ પ્રગટ થઇ જ જાય છે. એવા જીવને જ્યાંસુધી સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી ખાવા - પીવા - બોલવા - ચાલવા, હરવા - ફરવા આદિ અશુભક્રિયામાં રસ હોતો જ નથી. અરે! તે તો શુભભાવોથી પણ ત્રાસી ગયો હોય છે. તેથી રાત્રિભોજન ત્યાગની વાત મુમુક્ષુ અવસ્થામાં માત્ર ભાવથી જ લાગુ પડે છે, આચરણથી નહિ છતાં આચરણશુધ્ધી સહેજ પણ નકારવા યોગ્ય નથી પરંતુ જોર ભાવશુઘ્ધિ ઉપર રહેવું જોઈએ.
No English rendering yet.