Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 183

પૂ. ગુરૂદેવશ્રીએ ફરમાવેલ છે કે રાત્રિભોજનનો ત્યાગ કરવામાં નોકરી બાધારૂપ થતી હોય તો નોકરી પણ છોડી દૈવી. કંદમૂળાદીનો ત્યાગ ન હોય તે જીવ જીનવાણીનાં શ્રવણને પણ પાત્ર નથી.

આવું સાંભળી કોઈ કર્તાબુધ્ધિથી ત્યાગ કરવાનો પ્રયાસ કરે તો તે પૂ. ગુરૂદેવશ્રીનાં આશયને સમજયો નથી. કારણ કે પૂ. ગુરૂદેવશ્રીએ જ ફરમાવેલ છે કે ભાઈ! તું ચારિત્ર શુદ્ધિનો પ્રયત્ન કરે છે તે કરતાં પહેલાં દર્શનશુધ્ધિનો પ્રયાસ કર.

મૂળમાં રહસ્ય એમ છે કે જે જીવને માત્ર આત્મા જ જોઈએ છે તેની આચરણ શુધ્ધિ કદાચિત્ ન હોય તો પણ જીનવાણીનાં શ્રવણને પાત્ર થવાયોગ્ય ભાવશુધ્ધિ પ્રગટ થઇ જ જાય છે. એવા જીવને જ્યાંસુધી સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી ખાવા - પીવા - બોલવા - ચાલવા, હરવા - ફરવા આદિ અશુભક્રિયામાં રસ હોતો જ નથી. અરે! તે તો શુભભાવોથી પણ ત્રાસી ગયો હોય છે. તેથી રાત્રિભોજન ત્યાગની વાત મુમુક્ષુ અવસ્થામાં માત્ર ભાવથી જ લાગુ પડે છે, આચરણથી નહિ છતાં આચરણશુધ્ધી સહેજ પણ નકારવા યોગ્ય નથી પરંતુ જોર ભાવશુઘ્ધિ ઉપર રહેવું જોઈએ.

No English rendering yet.