અવલોકનમાં પોતાનાં ચાલતાં પરિણામોમાં માત્ર જોવા જતાં અને દોષોને હટાવવાનો કોઈ પણ ઉદ્યમ ન કરતાં અવલોકન ચાલ્યા પછી ગ્યાતાધારા તૂટીને વિચાર ચાલે ત્યારે મુમુક્ષુને એમ લાગે કે ‘મારામાં આટલાં દોષો ભર્યા છે છતાં હું દોષોને માત્ર જોયાં જ કરું છું પરંતુ દોષોનું નિરાકરણ તો કરતો જ નથી, તેથી હું પ્રમાદી થઇ ગયો છું, મારાથી ભૂલ થાય છે. ’ તો અહિં મુમુક્ષુની સમજણની ભૂલ થાય છે. અનાદિથી ‘કંઈક કરું તો સુખ પામું’ એવી કર્તાબુધ્ધિથી ટેવાયેલો જીવ અવલોકનની નિરાંતને પામી અશ્ચર્યજનક ખચકાટ અનુભવે છે. તેથી અવલોકન ચાલુ રાખી જ્ઞાનાભ્યાસ વધારવાને બદલે ઉતાવળથી દોષોને કાઢવાની કર્તૃત્વબુધ્ધિથી ઉદ્યમ કરવા માંગે છે પરંતુ આવા ઊંધા પુરૂષાર્થ કરતાં પ્રમાદ (?) સારો! વાસ્તવમાં તો ઉપરોક્ત સ્થિતિ પ્રમાદ નથી પણ અવલોકનથી ઉપજેલી નિરાંત છે. પૂજ્ય સોગાનીજી યથાર્થ ફરમાવે છે કે સ્વચ્છંદથી ડરો નહિ પરંતુ હવે તો સહજ સ્વચ્છંદ દશા પ્રગટ કરો. અહો! સોગાનીજીનાં અનુભવપૂર્ણ તીખાં વચનો! અહો! એમના વચનની ગંભીરતા! વાંરવાર અહો! અહો!
No English rendering yet.