Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 284

અવલોકનનાં પુરૂષાર્થથી મનનાં ભાવોને તટસ્થ રીતે જોવા-જાણવાથી સંયોગમાત્રમાં સાક્ષીભાવ કેળવાય છે તેથી બાહ્યસંયોગોમાં સારાં-નરસાં પણું મટે છે તેથી અશાંતિ ટાળે છે અને અવલોકન પૂર્વે જે અશાંત જીવન હતું તેમાં ઘરખમ ફેરફાર થાય છે. ઉદાસીનતા કેળવાય છે.

તેમ છતાં આ અશાંતિ ટળી તે આત્મિક અતિન્દ્રિય શાંતિ નથી. કારણ કે અતિન્દ્રિય આનંદ તો નિજ સ્વરૂપનાં નિર્વિકલ્પ પ્રત્યક્ષ સ્વસંવેદનથી જ અનુભવાય તેથી અવલોકનથી ટળેલ અશાંતિથી સંતોષ ધારણ કરવા લાયક નથી. જો સંતોષ આવશે તો સત્સંગ/સદગુરૂ નો મહિમા/ભક્તિ નહીં આવે તેમજ સમ્યગ્દર્શનને પણ અંતરાય નડશે. પરને તટસ્થ ભાવે જોતાં અશાંતિ ટળે છતાં શાંતિ તો સ્વને જોતાં-જાણતાં જ મળે. પરને જોતાં-જાણતાં શાંતિ કદાપિ ન મળે.

No English rendering yet.