પાત્રતા કેળવવા અને દૃઢ મોક્ષેચ્છા ઉત્પન્ન થવા અર્થે જ્ઞાની પુરૂષોએ વર્તમાન ચાલતાં પરિણામોમાં થનારા દોષોનું અવલોકન કરવાનો બોધ આપેલ છે. એમાં આશય એ છે કે જીવ સંસાર પરિભ્રમણ કરે છે એમાંપરનો દોષ નથી એવું અવલોકનથી જીવને સ્વયં સમજાય તો દોષ ટાળવાનો સંવેગ ઉત્પન્ન થયા વિના રહે નહિ કારણ કે નુકસાન જીવને પોષતું જ નથી.
દોષોનાં અવલોકનથી સહેજે સમજાય છે કે અશાંતિનું મૂળકારણ પૂર્વકર્મોનાં ઉદય કે પરિસ્થિતિ નથી પરંતુ પોતાની ઉલટી સમજ અર્થાત ભ્રાંતિ છે. અવલોકનથી સમજ વધતાં સહેજે મિથ્યાત્વ/મોહ મંદ થતો જાય છે અને જ્ઞાન વધારે નિર્મળ થાય છે. જીવની દશાની દિશા સહેજે પલટાય છે.
અહીં વિશેષ ધ્યાન રાખવા યોગ્ય એ છે કે ક્રોધાદિ ભાવોનાં નિરીક્ષણ/અવલોકન કરવાનું કહયું છે પરંતુ ‘ક્રોધાદિ ભાવોનો આત્મા કર્તા છે’ એમ જ્ઞાની પુરૂષોએ ક્યારેય કહેલ નથી. જીવતત્વ અને આસ્ત્રવ તત્વ તદ્દન ભિન્ન છે. તેથી દોષોને જોવાનો પુરૂષાર્થ કરતાં કરતાં ‘હું સ્વભાવથી દોષી છું’ એમ માનવામાં આવે તો પર્યાયદૃષ્ટિ વધારે દૃઢ થઇ દર્શનમોહ વૃદ્ધિ પામે છે. આતો ‘પેટ ચોડીને શૂળ ઊભું કર્યા બરાબર થયું’ કારણ કે અવલોકન પાછળનો જ્ઞાનીઓનો આશય જ્ઞાનીઓનો આશય જીવ સમજી શકયો નહિ.
No English rendering yet.