જ્ઞાન જ્ઞેયને જોઈ ત્યાં મારાપણું કરે/જ્ઞેયપ્રત્યે ઇષ્ટ - અનિષ્ટની કલ્પના કરે/જ્ઞેય પ્રત્યે રાગદ્વેષનાં પરિણામ કરે/જ્ઞેયમાં ફેરફારબુધ્ધિ રાખે/જ્ઞેયની સંભાળ રાખે ત્યાં એને જ્ઞેયમાં મમત્વ થયું કહેવાય.
જ્ઞાન જ્ઞેયને જોઈ ઉપરોક્ત પરિણામ ન કરે પરંતુ જ્ઞેયમાં ખોડાઈ જાય અને જ્ઞાનને ભૂલી જાય ત્યાં એને જ્ઞેયમાં એકત્વ થયું કહેવાય. મમત્વ હોય ત્યાં એકત્વ હોય જ પરંતુ એકત્વ હોય ત્યાં મમત્વ હોય અથવા ન પણ હોય.
મમત્વ તીવ્ર દર્શનમોહનાં પરિણામ છે જયારે એકત્વ સૂક્ષ્મ મંદ દર્શનમોહનાં પરિણામ છે.
જ્ઞાનદશા પછી મમત્વ કે એકત્વ જ્ઞાનીને હોતું નથી કારણ કે જ્ઞાન પોતાની હૈયાતીને ક્ષણેક્ષણે નિર્વિકલ્પ પરિણતિ દ્વારા નિર્વિકલ્પ ઉપયોગ ન હોય (શુધ્ધોપયોગ ન હોય) ત્યારે પણ વેદે છે. સ્વરૂપાચરણ ચારિત્ર નિરંતર વર્તે છે.
No English rendering yet.