જીવનો અનાદિનો ઉલટો પુરૂષાર્થ ચાલુ જ રહેલો છે તેથી તેને નિરંતર પરપ્રવેશભાવ સહિત વિભાવભાવોનું એકત્વ વર્તે છે અને ઠીક-અઠીક ભાવોનું વેદન થાય છે.
જ્ઞાન જ્ઞેયમાં રોકાય અને પોતાને ચુકે તો પરપ્રવેશભાવની ભૂલ તેમજ વિભાવભાવોની ઉત્પત્તિ અને ઠીક-અઠીક ભાવોનું વેદન નિયમથી થાય જ પરંતુ ભલે ઉપયોગ પરપદાર્થમાં હોય કે વિકલ્પો ઉપર કે રાગદ્વેષાદિ પરિણામો ઉપર હોય, પરંતુ જ્ઞાનની હૈયાતીને સતત વેદવામાં આવે તો ત્યાં રાગાદિભાવોનાં અવલોકન વખતે પણ ભાવમાં ઠીક-અઠીકપણું ઉપજતું નથી. માત્ર જ્ઞાતાભાવે જ્ઞાનની મુખ્યતામાં ભાવો ગૌણપણે જણાય છે તેથી ત્યાં જ્ઞાનની આરાધના જ વર્તે છે પરંતુ રાગને જોતાં રાગની આરાધના વર્તતી નથી.
વર્તમાન વર્તતી દશામાં દોષોનાં અવલોકન કરતી વેળા કોઈ ભાવો ઠીક લાગે અને કોઈ ભાવો ઠીક ન લાગે તો પર્યયબુધ્ધિ દૃઢ થઇ, રાગાદિ વીકારીભાવોનું એકત્વ થઇ, આકૂળતા વડે પરંતુ માત્ર જ્ઞેયરૂપે જ અવલોકન કરવામાં આવે તો ઇષ્ટ - અનિષ્ટ બુધ્ધિનો વિપર્યાસ મટી જ્ઞાતાભાવ વિકસિત થાય અને દર્શનમોહ મંદ થતો જાય, જ્ઞાનની આરાધના વધતી જાય. આત્મકલ્યાણની ભાવના વધતી જાય. પરરસ કાષાયરસ છુટતો જાય.
No English rendering yet.