પોતાનાં વર્તમાન પરિણામોમાં દોષ જોવાની શરૂઆત કરનાર જીવને કેમ ખબર પડે કે તેનું અવલોકન યથાર્થ ચાલે છે કે પછી માત્ર વિકલ્પો જ છે? જ્ઞાનથી દોષ જોવાય છે કે પછી મનના આધારે એક પળ પહેલાં થયેલા દોષનો વિકલ્પ થઇ રહેલો છે?
સમાધાન: જો યથાર્થ અવલોકન ચાલે તો દોષ જોતાં અંતરથી દુઃખ લાગે. ઉદયપ્રસંગોમાં નીરસતા - ઉદાસીનતા વૃધ્ધિ પામે. માત્ર વિકલ્પોથી દુઃખ ન લાગે; મોહભાવ એવો ને એવો જ રહે.
No English rendering yet.