ચાલતાં પરિણામોનાં અવલોકનનો પુરૂષાર્થ ધારાવાહી ચાલતો નથી તેમાં બાહ્ય સંયગો, ફરજ, સાંસારિક પ્રવૃત્તિ, પ્રતિકૂળતાનો જરાપણ વાંક નથી. ચારે કોર આધિ - વ્યાધિ - ઉપાધિમાં પણ અવલોકન નિરંતર ચાલી શકે છે. અવલોકન તો જ્ઞાનની શક્તિથી ઉપજેલ છે. આવી ચૈતન્યશક્તિને સાતમી નરકની વેદના પણ અટકાવી શકે નહિ તો પછી મુંઝાવું શું? તેમજ બીજાપર દોષનો ટોપલો શા માટે ઢોળવો? વિશેષ મૂંઝાશે/ગભરાશે તો પણ જાગૃતિ નહી રહે. બીજાનો વાંક કાઢશે તો પણ જાગૃતિ નહિં રહે. પરિણામો પ્રત્યે પોતે જ નિષ્પક્ષ રહેતો નથી અથવા પોતાને પરની રૂચિ અને આત્માની અરૂચિ છે તેથી જ અવલોકન યથાર્થ ચાલતું નથી. જેને આત્માની ચિંતા/દયા હોય અને તેથી પરમાં ઉદાસીનતા વર્તે તેને અવલોકન કેમ ન ચાલે? માટે પોતે યથાર્થ પુરૂષાર્થ નથી કરતો તેમાં પોતાનો જ વાંક છે.
No English rendering yet.