જ્યાં મોટા નાગરોની જેમ બંધ ગટર નથી ત્યાં નાના શહેરોમાં તેમજ ગામડાઓમાં કચરાના નિકાલ માટે શેરીઓમાં ખુલ્લી નીક (ગટર) હોય છે. સૂર્યનો સીધો પ્રકાશ આ ગટરમાં વહેનારા મળમૂત્રાદિ કચરાને પોતાનાં તાપથી બાળી મૂકે છે અથવા સુકવી દે છે અને વાતાવરણ ગંદકીથી મુક્ત રહી શકે છે. દુર્ગંધ ફેલાતી નથી.
તેમ જીવના સંસાર પરિણમનમાં કામ-ક્રોધાદિ મલિનતાને હટાવવી પડતી નથી. આત્મારૂપી જ્ઞાનસૂર્યનાં કિરણો ‘અવલોકન’ ની ઉપાસના કરતાં કરતાં વિભાવભાવો ઉપર પડતાં જ વિભાવો ભાગી જાય છે. શાંત થાય છે અથવા નાશ પામે છે.
No English rendering yet.