Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 253

જ્યાં મોટા નાગરોની જેમ બંધ ગટર નથી ત્યાં નાના શહેરોમાં તેમજ ગામડાઓમાં કચરાના નિકાલ માટે શેરીઓમાં ખુલ્લી નીક (ગટર) હોય છે. સૂર્યનો સીધો પ્રકાશ આ ગટરમાં વહેનારા મળમૂત્રાદિ કચરાને પોતાનાં તાપથી બાળી મૂકે છે અથવા સુકવી દે છે અને વાતાવરણ ગંદકીથી મુક્ત રહી શકે છે. દુર્ગંધ ફેલાતી નથી.

તેમ જીવના સંસાર પરિણમનમાં કામ-ક્રોધાદિ મલિનતાને હટાવવી પડતી નથી. આત્મારૂપી જ્ઞાનસૂર્યનાં કિરણો ‘અવલોકન’ ની ઉપાસના કરતાં કરતાં વિભાવભાવો ઉપર પડતાં જ વિભાવો ભાગી જાય છે. શાંત થાય છે અથવા નાશ પામે છે.

No English rendering yet.