અનાદિનો ગાઢ દર્શનમોહ બે પ્રકારે મંદ થઇ શકે છે ૧) શુધ્ધ અંતઃકરણથી આત્માને ભવભ્રમણથી છોડાવવાની ચિંતનાં - વેદના - ઝૂરણા થઇ દૃઢ મોક્ષેચ્છા થાવી ૨) મોક્ષની યથાર્થ વીધિ જાણવા/સમજવા અને પ્રયોગાન્વિત કરવા અર્થે વિદ્યમાન સત્પુરૂષનાં ચરણકમળોની તન - મન - ધન - આત્માથી અર્પણતા કરી પ્રેમરૂપ ભક્તિથી ઉપાસના કરવી.
બન્ને પ્રકારની ઉપાસના અનિવાર્ય છે. પહેલું હોય અને બીજું ન હોય તો માર્ગપ્રાપ્તિ ન થાય. તેમ ભક્તિ હોય પણ દૃઢ મોક્ષેચ્છા ન હોય તો પણ કાર્યસિધ્ધિ ન થાય.
દૃઢ મોક્ષેચ્છા ઉત્પન્ન થતાં જીવે પોતાના હિતની બેદરકારી અર્થાત્ નિજસ્વરૂપની વિરાધનાથી જે દર્શનમોહ બાંધેલ તે મંદ થયો પરંતુ અનંતકાળની રખડપટ્ટીમાં કુદેવ-કુગુરૂ-કુશાસ્ત્રની આરાધના અને સુદેવ - ગુરૂ - શાસ્ત્રની વિરાધનાથી બંધાયેલ દર્શનમોહ કેવીરીતે ગળશે? એ ગાળ્યા વિના માર્ગની યથાર્થ વીધિ જ સમજમાં નહિ આવે, માટે વિદ્યમાન સત્પુરૂષની ઓળખાણ પૂર્વક ભક્તિ પ્રેમરૂપ દશા વિના જીવ સન્માર્ગે ચડી શકતો નથી.
No English rendering yet.