Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 251

પ્રશ્ન: અવલોકન અને ભેદજ્ઞાનમાં શું તફાવત છે?

ઉત્તર: બંને પ્રયાસમાં જ્ઞાનનો જ આધાર લેવામાં આવે છે; ઇન્દ્રિયો કે મનનો નહિ. પરંતુ અવલોકનનાં પ્રયાસમાં દૃષ્ટિ પરિણામ - વર્તમાન રાગાદિ વિભાવભાવો - ઉપર રહે છે અને ભૂલની સમજણ થાય છે તેમજ રાગાદિ ભાવોમાં દુઃખ / નિષેધ થઇને પૂર્ણતાનું લક્ષ બાંધી શકાય છે.

જયારે ભેદજ્ઞાનનો વિષય શુધ્ધ ત્રિકાળી એકરૂપ જ્ઞાન-સ્વભાવ કારણપરમાત્મા જ છે. ભેદજ્ઞાનનાં પ્રયાસમાં દ્રવ્યદૃષ્ટિ થવાનો પુરૂષાર્થ છે જેથી સમ્યગ્દર્શનપૂર્વક મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય.

પહેલાં અવલોકનથી પાત્રતા થયાં બાદ ભેદજ્ઞાનથી જ્ઞાનદશામાં અવાય છે.

No English rendering yet.