‘દર્શનમોહને મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ સમજાય નહિ અને દર્શનમોહનાં અભાવ વિના વસ્તુસ્વરૂપનો અનુભવ થાય નહિ’. (- પૂજ્ય ગુરૂદેવશ્રી)
દર્શનમોહને મંદ કરવા વર્તમાન પરિણામોને નિષ્પક્ષપાતપણે સતત અવલોકવાનો પુરૂષાર્થ કરવો.
દર્શનમોહનો નાશ કરવા દ્રવ્યસ્વભાવનો આશ્રય લઇ જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનસામાન્ય ઉપર રાખી ભેદજ્ઞાનનો અપૂર્વ પુરૂષાર્થ કરવો.
પર્યાયદૃષ્ટિ (પર્યાયનાં જ્ઞાન) વિના મોહનાં પરિણામો (ભૂલ) સમજાય નહિ અને દ્રવ્યદૃષ્ટિ વિના એ ભૂલ ટળે નહિ.
No English rendering yet.