અવલોકનનો સફળ અભ્યાસ કરનાર જીવને ભેદજ્ઞાન સરળતાથી થઇ શકે છે. કારણ કે જીવ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ રહિત અરૂપી છે તેમ ક્રોધાદિ ભાવો પણ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ- શબ્દ રહિત અરૂપી છે. તેથી દોષ ઇન્દ્રિય જ્ઞાનમાં જણાઈ શકે નહિ. અરૂપી જાણવાની તાકાત માત્ર અતિન્દ્રિય જ્ઞાનમાં જ છે. તેથી વિકારને પ્રત્યક્ષ-મનનાં આધાર વિના અર્થાત સ્મરણ/ચિંતન /મનન કર્યા વિના કે-કદી વિકાર નહીં કરું-એવો મનનાં આધારે સંકલ્પ કર્યા વિના સીધો જ દેખવામાં આવે તો અતિન્દ્રિય જ્ઞાનનો અભ્યાસ શરૂ થાય.
અતિન્દ્રિય જ્ઞાનનાં આવા પુરુષાર્થથી વિકારની શક્તિ/રસ ઘટે, ઉદાસીનતા પ્રગટે તેમજ વધે, વિકરનો નાશ થઇ શકે. જ્ઞાનનો રસ વધે, મોહરસ ઘટે, ભ્રાંતિ ટળે, સુખ આત્મામાં જ છે એવો વિશ્વાસ ઉપજે, જ્ઞાનનો પ્રયોગ થાય. પાત્રતા પ્રગટે. આવો પુરૂષાર્થ ભેદજ્ઞાન થવા માટેનો પાયો છે.
No English rendering yet.