પૂર્વે અવલોકનનો પુરૂષાર્થ નહોતો કરતો ત્યારે જ રીતે ખાવાની - પીવાની - બોલવાની - સૂવાની આદિ ક્રિયાઓ ચાલતી હતી તેટલી બધી જ ક્રિયાઓ અવલોકન કરતાં કરતાં પણ થઇ શકે છે અને બહારના સંયોગો ક્રિયા, લાભ-નુકસાન સાથે અવલોકનને જરાપણ સંબંધ નથી એવું અવલોકન કરનારને અનુભવથી સમજાયા વગર રહેતું નથી તેથી તેનો ઉત્સાહ ઉલ્ટાનો વધે છે. સંસારની બધીજ ક્રિયાઓ/જવાબદારી સંભાળતાં સંભાળતાં સાથોસાથ અવલોકનનાં પુરૂષાર્થથી જો આત્મશાંતિનાં માર્ગે ચડાતું હોય તો તેમાં શો વાંધો? અત્યાર સુધી નકામો સમય ગુમાવ્યો એવું અવલોકન કરનારને લાગ્યા વિના નહીં રહે. તેમજ આવો સુંદર માર્ગ બતાડનાર ઉપર શ્રધ્ધા/ભક્તિ ઉગ્યા વિના પણ નહીં રહે.
No English rendering yet.