Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 264

આત્મકલ્યાણની શુધ્ધભાવનાવાળા જીવને વિતરાગમાર્ગ, શ્રીગુરૂ અને સત્સંગ પ્રત્યે ભક્તિ અને અર્પણતા વર્તે છે અને અસત્સંગ પ્રસંગોમાં જાગૃતિપૂર્વક અરૂચિ અને ઉદાસીનતા વર્તે છે. ઉદાસીનતાનો અર્થ દ્વેષભાવ નથી, વૈરાગ્ય નથી, પલાયનતા નથી.

ઉદાસીનતાનો અર્થ સાંસારિક પ્રસંગોથી ભાગ્યા વિના તેવા પ્રસંગો વચ્ચે ઉભા રહીને અરૂચિ થવી અને સત્સંગની તીવ્ર ભાવના વૃધ્ધિગત થવી તે છે. વીતરાગમાર્ગ તલવારની ધાર ઉપર અત્યંત સમતુલા અને સાવધાનીપૂર્વક ઉભા રહેવા બરાબર છે. આવી ઉદાસીનતા નિજ દોષ અવલોકનનાં સતત અભ્યાસથી સહજ જ સંભવે છે. અવલોકનરૂપ સાવધાની વિના વૈરાગ્ય કે સત્સંગ પ્રત્યેની ભક્તિ તે રૂંધાયેલો કષાય છે. વાસ્તવમાં તે ભક્તિ નથી પરંતુ ઓઘસંજ્ઞાથી ઉત્પન્ન રાગ છે.

No English rendering yet.