Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 194

વર્તમાન ચાલતાં પરિણામોમાં દોષોનું અવલોકન છોડી દેવાને બદલે ક્યા કારણોથી દુઃખ ઉપજે છે? તે જોવાનું છે. તે દુઃખ (૧) અવલોકન છૂટવાથી ઉપજે અથવા (૨) વિકારી ભાવોથી આત્માનું અહિત થાય છે એવું ભાસવાથી ઉપજે અથવા (૩) નિરર્થક ભાવોથી મારો સમય-શક્તિ વેડફાય છે તેથી ઉપજે (૪) ન ઇચ્છવા યોગ્ય તિરસ્કૃત ભાવોથી પીછો ન છૂટવાથી ઉપજે તો એવા પ્રકારનાં દુઃખથી મોહ જરૂર ગળશે અને જ્ઞાન નિર્મળ થાશે. ધીરજ રાખવા યોગ્ય છે. ‘મને ખરાબ ભાવો કેમ આવે છે? ’ અર્થાત ‘એવા ભાવો આવ્યા જ શા માટે? ’ એનું દુઃખ લગાડવું તે માત્ર પશ્ચાતાપ હોવાથી અને તે વખતે અવલોકન (ઉપાય)નો પ્રયાસ છૂટતો હોવાથી આવા પ્રકારનું દુઃખ ઉપજે તે યથાર્થ નથી. ટૂંકમાં ખેદનાં પરિણામો વખતે પણ અવલોકનનો પ્રયાસ સતત ચાલવો જોઈએ. તો જ યથાર્થતા છે.

No English rendering yet.