આત્માર્થીજીવે શાંતિથી ઊંડાણથી વિચાર કરવો ઘટે કે મિથ્યાત્વનો દોષ વધારે મોટો કે ચારિત્રમોહનો? પ્રથમ કયા દોષથી બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ? સ્વલક્ષે આત્મભાવનાથી જો જીવને મિથ્યાત્વનાં દોષની ભંયકરતા અધિક ભાસે તો સહેજે અન્યજીવનાં શુભ/અશુભ ભાવોની સમીક્ષા કરવાનું કે એની ઉપર વજન દઈ ધ્યાન દેવાનું છૂટી જાય અને પોતના પ્રયોજનનાં લક્ષે પ્રાપ્ત સત્સંગથી જેટલો લઇ શકાય એટલો લઇ લે. આત્માર્થી જીવને અન્ય જીવોનાં ચારિત્રનાં દોષો જોવાનું શું પ્રયોજન છે? એનાં કરતા પોતાના મિથ્યાત્વરૂપી મહાદોષને દૂર કરવાની ચિંતામાં ખરેખર તો એને પરપંચાયતી કરવાનું સૂઝતું જ નથી. દર્શનમોહનો નાશ કર્યા વિના ચારિત્રમોહનાં દોષનાં નાશનો ઉપાય કરવો એ તો રાખ ઉપર લિંપળ કરવા જેવું છે. ક્રમવિપર્યાસ પણ છે. માટે જીવે પોતાના કે બીજાના ચારિત્ર દોષને મુખ્ય કરવાને બદલે સૌ પ્રથમ પોતાનાં મિથ્યાત્વનાં દોષનો અભાવ કરવામાં જ સર્વશક્તિ લગાડી પુરૂષાર્થ કરવો ઘટે.
No English rendering yet.