Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 202

વીતરાગ માર્ગમાં પર્યાયદૃષ્ટિનો નિષેધ છે. અવલોકનનાં પાત્રતાનાં માટેના પુરૂષાર્થમાં પરનાં દોષ જોવાના નથી જયારે આ પુરૂષાર્થનો તબકકો પૂરો થાય ત્યારબાદનાં ભેદજ્ઞાનનાં પુરૂષાર્થમાં સ્વનાં પણ દોષ જોવાનાં નથી માત્ર ત્રિકાળી અખંડ ધ્રુવ વીતરાગ સ્વરૂપ નિજ પરમાત્મામાં જ ‘જ્ઞાનમાત્ર છું’. એમ ‘હું પણું’ કરવાનું છે. આમ સ્વાનુભૂતિ પ્રગટ થવા બંને પ્રયોગનાં તબકકામાં દોષ જોવાનાં નથી. જૈનદર્શનમાં માત્ર ગુણ જોવાનાં છે પોતાનાં દોષ જોવા તે પણ ગુણ છે. આમ જૈનદર્શન નિર્દોષ ગુણોથી ઉત્પન્ન વીતરાગ શાંતિની પ્રાપ્તિનો માર્ગ પ્રકાશિત કરે છે.

No English rendering yet.