Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 123

અવલોકન પધ્ધતિ દ્વારા વર્તમાન ચાલતાં પરિણામમાં દોષોને જોતાં જોતાં ઘણીવાર દોષોને જોઈ ઘભરામણ થઇ આવે દુઃખ ઉપજે, નિરાશાનાં ભાવો જન્મે. ઘણી વાર અવલોકન સારું ચાલતાં શાંતિ પણ અનુભવાય, તેથી હર્ષનાં પરિણામો થાય.

આવે સમયે જ્ઞાનીપુરૂષનો મહિમા-ગુણચિંતવન ભક્તિ કરતાં દુઃખથી ઉત્ત્પન્ન નિરાશા છૂટી હિંમત બંધાય અને માનસિક અસમતુલાથી બચી જવાય. તેમજ શાંતિ અનુભવતાં જે હર્ષભાવ થઇ સંતોષ અથવા અહમભાવ થાય તેને પણ ભક્તિ અટકાવી દે છે અને જીવને સાવધાન કરે છે. તેથી ભક્તિ અવશ્ય કરવા જેવી છે. જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી. પરંતુ મોક્ષાભિલાષીને ભક્તિ આવ્યા વિના ઉપદેશ પરિણમતો નથી. ભાવભાસન થાતું નથી. ભક્તિ વિના અવલોકનમાં જ અટકવાનું થઇ જશે.

No English rendering yet.