Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 159

૧૪-૮-૯૭ થી ૧૮-૮-૯૭ સુધીની માંગીતુંગીની જાત્રા દરમ્યાન દેવલાલીમાં અવલોકન બાબત ઊંડાણથી વિચારતા આવેલો સહજ વિચાર:

અનંત જ્ઞાનીઓએ એકમતથી એક જ વાત ઉચ્ચારી છે કે નિજપરમાત્મા (આત્મા)માં અનંત સુખ ભર્યું છે (અસ્તિથી) ઉપરાંત નાસ્તિથી એમ પણ એકી અવાજે ફરમાવ્યું છે કે બહારમાં એક પણ રાજકારણની હેરાફેરી કરવાની તાકાત આત્મામાં નથી.

અસ્તિ અને નાસ્તિનાં જિનવચન જો યથાર્થપણે સમજાય તો મુમુક્ષુને કાંઈપણ કરવા-ફરવાનું રહેતું નથી સિવાય કે માત્ર જાણવું-દેખવું અર્થાત અવલોકન કારણ કે પોતાનું સુખ તો પોતામાં છે તો બહાર શું ફાંફા મારવા? ઉપરાંત ગમે તેટલા ફાંફા મારવામાં આવે તોય પરપદાર્થમાં આ જીવનો કાંઈ પણ અધિકાર ચાલતો જ નથી. એક રાજકારણની હેરાફેરી જીવ કરી શકતો નથી. પછી ભલે ને અજ્ઞાનવશ ભાવો કરે અને કર્મબંધન કરે.

માટે મુંકશુંએ સર્વાર્પણ ભાવથી પોતાનાં વર્તમાન પરિણામોનું સતત અવલોકન કર્તવ્ય છે. એમાં જ સત્સંગની સફળતા રહેલી છે. એમાં જ શાસ્ત્રાભ્યાસ કે દેવગુરૂની ભક્તિ/મહિમાની સાર્થકતા છે.

No English rendering yet.