‘તું ભવભ્રમણની વેદનામાં આવ’ તોજ તું ભાવમુક્ત થઇ શકીશ-એવું વચન વ્યવહારનાં જોરવાળું હોઈ જિનઆજ્ઞાથી વિપરીત છે. મોક્ષમાર્ગમાં પ્રવેશાર્થે મનનું આલંબન સાધક નથી પરંતુ બાધક છે. મનનાં આલંબન વિના પોતાના જ્ઞાનસામર્થ્યને સાધન બનાવી અવલોકન - ભેદજ્ઞાનનાં પુરૂષાર્થથી કોઈ પણ જીવ યોગ્યતા ક્રમમાં આવી સ્વાનુભૂતિ કરી શકે છે. વેદના લગાડવાનો વિષય નથી. વેદનાનાં લક્ષે વેદના આવતી પણ નથી. પરંતુ જ્ઞાનમાં જ્ઞાનબળે અવલોકનનો પુરૂષાર્થ થતાં નુકસાન ભાસતાં સહેજે ભવભ્રમણની ચિંતના - વેદના - ઝૂરણાં આવી જાય છે જે પૂર્ણતાના લક્ષનું કારણ બને છે.
No English rendering yet.