Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 25

ઉપાદાન જાગૃત થાય તો નિમિત્ત મળી જ રહે છે. એવા જ્ઞાનીપુરૂષોનાં કથનમાં એવો આશય છે કે નિમિત્તનો આધાર છોડી દે. શ્રીગુરૂ માર્ગ બતાવે પણ ચાલવાનો પુરૂષાર્થ તારે જ કરવો પડશે. પુરૂષાર્થ વિના શ્રીગુરૂની કૃપાથી માર્ગ - મળશે એવું માનીશ નહીં. આવો અર્થ ન સમજતાં કોઈ છળ ગ્રહણ કરે કે શ્રીગુરૂચરણનાં સાનિધ્ય અને સત્સંગ વિના ઉપાદાનથી કાર્ય સિધ્ધ થઇ શકશે. માટે શ્રીગુરૂની શોધ કરવાની જરૂર નથી. શ્રીગુરૂ સામે ચાલી સ્વયઁ આવશે - તો તે ગંભીર ભૂલ છે. કારણ કે જેનું ઉપાદાન તૈયાર થાય અર્થાત જેને ભવભ્રમણનો થાક લાગે, ચિંતના - વેદના - ઝુરણાં ઉત્પન્ન થાય એ તો ચૂંટાવાના માર્ગને જાણવા માર્ગદર્શક શ્રીગુરૂની ખોજ કરે કરે ને કરે જ. તે એમ ન કહેકે મારું ઉપાદાન જાગૃત થઇ ગયું છે તો શ્રી ગુરૂ સામેથી મને મળશે. એટલી શાંતિ અને ધીરજ જાગ્રત ઉપાદાનવાળા જીવમાં હોતી જ નથી. ઉદયભાવોમાં તીવ્ર દુઃખનો અનુભવ થયા વિના કોઈ ઉપાય (અર્થાત્ શ્રીગુરૂનાં માર્ગદર્શન) ને ગોતે નહીં તો ગોત્યા વિના માર્ગ મળે પણ નહિ. જે ગોતે તેને જ માર્ગ મળે.

No English rendering yet.