વીતરાગ શ્રીગુરૂ શિષ્યનાં દોષો જોતાં નથી તેમજ બતાવતાં નથી પરંતુ એવી રીતે અવલોકનની રીત બતાવે છે કે જેની આરાધનાથી જીવ પોતે જ પોતાનાં દોષો જોઈ, બતાવીને સુખી થવાનો માર્ગ પૂછે છે. કારણ કે અવલોકનથી જીવને પોતાની ભૂલ સમજાય છે કે દુઃખનું કારણ અન્ય દ્રવ્ય નથી પરંતુ પોતાની ઊંધી સમજણ અને ઊંધી માન્યતા છે. તેમજ સાચી સમજ વિના દુઃખ નહિ ટળે એમ પણ એને નિજ અવલોકનથી સમજાય છે. આવો જીવ સ્વયં વીતરાગી શ્રીગુરૂને શરણે આવે છે. એને શ્રીગુરૂ ફરજ પડતાં નથી કે મારે શરણે આવ, પરંતુ શિષ્ય પોતાનાં લાભ માટે શાંતિનો માર્ગ જાણવા સ્વયં શ્રીગુરૂને શરણે જાય છે ત્યારે જ એને જ્ઞાનીપુરુષમાં દેહધારી પરમાત્મા દેખાય છે.
No English rendering yet.