શ્રી નાટક સમયસારમાં પંડિત બનારસીદાસજીએ સમ્યગ્દર્શનનાં અન્ય નામોમાં એક નામ ‘અવલોકન’ જણાવેલ છે. વળી આત્મખ્યાતિ ટીકા શ્લોક ૧૯નાં ભાવાર્થમાં પંડિત જયચંદ્રજીએ દર્શન અર્થાત શુદ્ધસ્વભાવનું અવલોકન અને જ્ઞાન અર્થાત શુદ્ધસ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું જણાવીને અવલોકન તે શ્રધ્ધાગુણનું પરિણમન છે એવું સ્પષ્ટ જણાવેલ છે.
વળી આ કાળમાં પણ જે જે ભવ્ય જીવોએ વર્તમાન પરિણામોનાં સતત અવલોકનનાં પુરૂષાર્થ વડે વિભાવભાવોને હટાવવા કે બદલાવવાને બદલે માત્ર જોવાનું કાર્ય કરતાં એમને પ્રતીતિ થઇ છે કે હું જ્ઞાનસ્વભાવી આત્મા પરપદાર્થ કે વિભાવભાવોનો માત્ર જાણનાર-દેખનાર છું પરંતુ કર્તાધર્તા નથી.
આમ અવલોકનથી મિથ્યાત્વ મંદ થઇને આપમેળે સમ્યગ્દર્શનની ભૂમિકા તૈયાર થાય છે. તેમજ આ ભવ્ય જીવો અત્યંત ઉદાસીનતા અને અપૂર્વ આત્મરૂચિને ઉત્પન્ન કરી શક્યાં છે. આમ ‘અવલોકન’ નો અનંત ઉપકાર છે.
No English rendering yet.