અવલોકનના સતત અભ્યાસની ફળશ્રુતિમાં મમત્વનાં નિમિત્તભૂત દેહ, કુટુંબ, પરિગ્રહાદિ કાંઈપણ જ્ઞાનમાં ન જણાય અથવા જેનાથી કાંઈ લાગે વળગે નહિ એવા પદાર્થો જ્ઞાનમાં ઝળકે ત્યારે વિહવળ ન થવું, ન ગભરાવું કે ન ખેદ કરવો કે હજી મારો આત્મા કેમ દેખાતો નથી? પરંતુ પ્રતિબિંબ રહિત જ્ઞાન અરીસા (સામાન્ય ધ્રુવ) ની મૌજુદગીનો અનુભવ વેદવો અથવા પદાર્થોને જાણનાર ‘હું જ્ઞાનસામાન્ય મૌજુદ છું’ એમ પોતાનાં અસ્તિત્વનો અનુભવ કરવો. જેનામાં મમત્વ નથી તેવા પદાર્થોથી દૃષ્ટિ ખસેડી/ગૌણ કરી જ્ઞાનસામન્યમાં દૃષ્ટિ સ્થાપવી ઘણું સરળ થઇ પડશે. ‘જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું’ એવો દ્રઢભાવ કેળવવાનો અભ્યાસ સતત ચાલુ રાખવો. કંઈજ નથી જણાતું એવું જાણ્યું શેમાં?
ઉત્તર: પદાર્થોથી નિરપેક્ષ પ્રતિસમય ઉત્પન્ન થતી જ્ઞાનપર્યાયમાં અને એ જ્ઞાનપર્યાયનો મૂળસ્ત્રોત (સ્વામી) ‘હું મૌજુદ છું’ એમ અસ્તિત્વ પકડાવું સરળ છે તેથી પ્રયત્ન ચાલુ જ રાખવો. ઉપયોગને (જાગૃતિને) છટકવા દેવો નહીં.
No English rendering yet.