Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 64

વિકાસક્રમ

૧. વેદના - ઝૂરણાં ૧. મૃત્યુ થવું
૨. પૂર્ણમુકતી (પૂર્ણતા) નું ધ્યેય ૨. ગર્ભમાં ઉપજવું
૩. સત્પુરૂષનું સાનિધ્ય-સત્સંગ ૩. ગર્ભમાં વિકાસ
અંતરમાં અવલોકન - ભેદજ્ઞાનનો પ્રયોગ
૪. સમ્યગ્દર્શનની પ્રાપ્તિપુર્વેની દશા ૪. જન્મસમયની પ્રસવ પીડા
૫. આત્માનુભૂતિ ૫. નવો જન્મ
૬. અવ્રત સમ્યગ્દર્શનની ભૂમિકા ૬. બાળપણનું તોફાન
૭. શ્રાવકની ભૂમિકા ૭. વિદ્યાગ્રહણનો સમય સમજણ નોસમય
૮. મુનિદશા - શ્રપક શ્રેણી ૮. ભરજુવાની કમાવવા - રળવાનો સમય
૯. કેવળજ્ઞાન પ્રાપ્તિ -મોક્ષ ૯. સુખ ભોગવવાનો સમય

સત્સંગનો યોગ સાંપડવાથી જીવમાં વિચારબડે સંસારદશાનું તુચ્છપણું અને મુક્તદશાનું મૂલ્યાંકન ભાસે છે ત્યારે નિજદોષોનાં અવલોકનનો પુરૂષાર્થ જન્મે છે. અજ્ઞાન દશામાં જીવ ઉદય પ્રસંગોમાં જોડાઈને ઇષ્ટ અનિષ્ટની કલ્પનામાં રાચી નવીન કર્મો બાંધે છે. અવલોકનની પ્રારંભ અવસ્થામાં મારે ‘સંપૂર્ણપણે નિર્દોષ થાવું છે’. ‘પૂર્ણ સુખી થાવું છે’. તેવું ધ્યેય જરૂર હોય છતાં ભૂમિકા બળહીન હોવાથી ઉદયમાં જોડાઈ જવાની ભૂલ દેખાય ત્યારે આવી ભૂલ ન જ થવી જોઈએ એવો દુરાગ્રહ રાખવામાં આવે તો તે પોતાની ભૂમિકાને સમજ્યો જ નથી તેથી ભૂલને જોતાં જ ખેદ અને આકૂળતા વધશે અને ઉતાવળમાં અવલોકન છૂટી જઈ ભૂલને રોકવાનો કૃત્રિમ પ્રયાસ થશે. મોહને સહજપણે ગાળીને જ્ઞાનને નિર્મળ કરનારું અવલોકન છૂટતાં જ ફરીને દર્શનમોહ વધશે માટે જીવે આડું અવળું વિચાર્યા વિના સદગુરૂનાં આશ્રયમાં રહી એકમાત્ર પોતાનાં દોષનું અવલોકન જ કરવા જેવું છે. અવલોકન વડે સહજમાત્રમાં દર્શનમોહ ગડશે, જ્ઞાન નિર્મળ થશે અને એ નીર્મળતામાં ભવભ્રમણની ભયંકરતાનો અનુભવ થાશે. દુઃખનો અનુભવ થશે.

વિચારથી મનન - ચિંતનથી ભવભ્રમણની ભયંકરતા બુધ્ધિમાં સમજાય અને જ્ઞાનની નિર્મળતામાં મોહ ગળીને ‘મારું ભવભ્રમણ થઇ રહ્યું છે. ’ એવો અનુભવ થાય એમાં ઘણો જ તફાવત છે.

વિચાર મનાશ્રિત પરોક્ષ હોવાથી વીર્યને ઉછાળી શકતું નથી જ્યારે ભવભ્રમણની ચિંતના - વેદના - ઝૂરણાં તો આત્મવીર્ય જગાડીને પૂર્ણતાનાં લક્ષમાં પરિવર્તિત થશે. પૂર્ણતાનું લક્ષ બંધાયું એટલે સિદ્ધમહેલનો પાયો રચાયો. મંગળ શિલાન્યાસ થયો. અવલોકનના પ્રયોગ વખતે સહજ થઇ જતી ભૂલો સદગુરૂનાં માર્ગદર્શન વિના ટળતી નથી માટે શ્રીગુરૂનો ઘણો ઘણો ઉપકાર છે.

No English rendering yet.