Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 259

પ્રશ્ન: માત્ર આત્માની સંભાળ લેવાનું કહો તો પછી વ્યવહારમાં કેમ ચાલવું? છીપકલી કીડાને પકડીને મારવા જાય તો કીડાને બચાવવો કે નહીં? કુટુંબીજનોની સંભાળ રાખવી કે નહીં?

સમાધાન: સર્વપ્રથમ આત્માની સંભાળ, દયા, કરુણા, પ્રેમ-રૂચિ કરી આત્માનો-પોતાની જાતનો-અનુભવ કરવો જોઈએ. સર્વે વીતરાગી ભગવંતો, નિગ્રંથ મુનિઓ તેમજ સાધક જ્ઞાની ધર્માત્માઓનો આ જ અભિપ્રાય છે. ૧૨ અંગનો આ જ સાર છે. કારણકે પોતાને જાણતાં તેમજ સાધકદશામાં પ્રવેશતાં જ જીવને વ્યવહારનું કેમ કરવું? - તે કોઈને પૂછવું પડતું નથી પરંતુ પોતાને જ બધું સમજાઈ જાય છે.

જ્ઞાનીઓ બંધનાં કારણભૂત પાપ અથવા પુણ્ય એટલે કે આસ્ત્રવ કરવાની અને જન્મમરણનાં સમુદ્રમાં ડૂબવાની વાત કેવીરીતે કરે? કીડાને મારવા દેવાની (પાપભાવની) કે કીડાને બચાવવાની (પુણ્યભાવની) વાત જ્ઞાની કેવી રીતે કરે? તેથી તીવ્ર મોહી જીવને જ્ઞાની ઉપદેશ પણ આપતાં નથી. કારણકે આત્મસ્વભાવ માત્ર જાણવાની શક્તિ ધરાવે છે. જ્ઞાયકમાં કરવા-ફરવાનો ગુણ જ નથી.

No English rendering yet.