Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 276

સર્વદોષથી મુક્ત થવાનો એકમાત્ર લક્ષ, અભિપ્રાય, ધ્યેય ન બંધાય ત્યાંસુધી જ્ઞાનઉપયોગ અંતર્મુખ થઇ નિજ પરમાત્માને દેખી-જાણી-અનુભવી શકવા સમર્થ નથી.

તેથી કરુણાવંત જ્ઞાનીપુરૂષોએ સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિની અનંત અશાંતિરૂપી અગ્નિમાં બળબળતા દુઃખી જીવોને પ્રથમ મુમુક્ષુ બનવા ‘અવલોકન’ ની દવા આપી; જેથી ચાલતાં પરિણામો તપાસીને - ક્યા દોષોથી પોતે અંતર્મુખ થઇ શકતો નથી અને શેની રૂચિ ઉપયોગને બહારમાં જ ભટકાવે છે તેવા દોષોની પોતાને સ્વયઁ જાણ થાય. દોષોની જાણ થાય છે ત્યારે નુકસાનનો અંદાજ અને ભયંકર પરિભ્રમણથી બચવાનો દૃઢ ભાવ પણ સાથે ઉપજે જ. આ મુક્ત થવાની ભાવના વધતાં કોઈપણ ઉપાય-મરીને પણ-મારે મુક્ત થવું છે એવી ભાવના થાય ત્યારે જીવ મુમુક્ષુ બને છે. હવે આવા જીવને ‘ભેદજ્ઞાન’ નો ગુરૂમંત્ર મળે ત્યારે તેને ઉલટી કે અજીર્ણ થતું નથી; પરંતુ સમ્યક પુરૂષાર્થ ઉપજી સ્વાનુભૂતિ થાય છે.

No English rendering yet.