Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 176

જ્ઞાની પુરુષનો મહિમા અલૌકિક છે. ચોથા ગુણસ્થાને પણ સમકિતી જિનેશ્વરદેવનો લઘુનંદન છે ભાવિ પરમાત્મા છે. મુમુક્ષુઓની દૃષ્ટિમાં સાક્ષાત્ દેહધારી પરમાત્મા છે. તમનું નવધા ભક્તિથી સ્વાગત થવું જોઈએ નીરંતર હૃદયમાં બિરાજમાન કરવા જોઈએ, જિનશાસન જ્ઞાનીઓથી શોભે છે, જયવંત વર્તે છે.

આવા જ્ઞાનીઓ

(૧) પોતાના આત્માને દેહથી/રાગથી પ્રત્યક્ષ સ્વસંવેદન પૂર્વક અનુભવે છે.

(૨) ઉપયોગ અંદરમાં હોય કે બહારમાં એમને રાગથી ભિન્ન પોતાના નિજસ્વભાવની હિમારૂપ
સ્વરૂપાચરણ પરિણતિ નિરંતર વર્તે છે.

(૩) જ્ઞાનીઓને વગર પ્રયત્ને ભેદજ્ઞાનની પરિણતિ વર્તે છે.

(૪) જ્ઞાનીઓ પરમાત્મદશા, પૂર્ણવીતરાગદશાની ભાવના છતાં પોતાના સ્વભાવની માહિમમાં જ
ડૂબેલા રહે છે.

(૫) જ્ઞાનીઓને અંતર સ્થિરતા વધારવાનો સહજ પ્રયત્ન હોય છે તેથી કૃત્રિમ પ્રયાસ કરતાં નથી.

(૬) જ્ઞાનીઓને પોતાનાથી વિશેષ ગુણવાન જ્ઞાનીઓનો મહિમા, બહુમાન, ભક્તિભાવ હોવા
છતાં અંતરમાં આવા શુભભાવો દુઃખરૂપ ભાસે છે સ્વભાવનો/પોતાનો મહિમા વધારે આવે છે.

(૭) જ્ઞાનીઓને અશુભભાવની જેમ શુભભાવમાં પણ ભિન્ન પણે વર્તતા છતાં દુઃખનો અનુભવ
થાય છે.
(૮) જ્ઞાનીઓને મુમુક્ષુનો સંગ નિ: સ્પૃહ ભાવે હોય છે.

(૯) અધિક પાત્રતાવાળા મુમુક્ષુથી ચિત્ત પ્રસન્ન છતાં એનાથી વધારે રાગ અને અન્ય મુંક્ષુઓથી
દ્વેષનાં પરિણામો જ્ઞાનીઓને સહેજે હોતાં નથી.

(૧૦) એક મુમુક્ષુને ચડાવવો અને એકને ઉતારવાની પ્રવૃત્તિ જ્ઞાનીઓને હોતી નથી.

(૧૧) જ્ઞાનીઓ મુમુક્ષુની દોષદૃષ્ટિને ઉત્તેજન આપતાં નથી.

(૧૨) જ્ઞાનીઓ મુમુક્ષુની પીઠપાછળ દોષચર્ચા કરતાં નથી.

(૧૩) જ્ઞાનીઓ મુમુક્ષુની ગુણપ્રમોદની ભાવનાને પોષણ આપે છે.

(૧૪) શિષ્ય પોતાથી આગળ વધે તો જ્ઞાનીઓ ઇર્ષ્યાભાવને બદલે પ્રશંસા કરે છે.

(૧૫) જ્ઞાનીઓ પોતાની આજ્ઞામાં રહેલાં મુમુક્ષુની સંભાળ લે છે. તેને ઝડપથી આગળ વધવા
માર્ગદર્શન આપે છે.

(૧૬) જ્ઞાનીઓ મુમુક્ષુને સંભવિત દોષોથી બચવા માર્ગદર્શન આપે છે.

(૧૭) જ્ઞાનીઓ પોતાની પ્રથિષ્ઠાને બચાવવા - જાળવવાનો પ્રયત્ન હોતો નથી.

(૧૮) જ્ઞાનીઓ પોતાનાં નિમિતે બે મુમુક્ષુઓ વચ્ચે વાદવિવાદ/વિખવાદ કરાવતાં નથી.

(૧૯) જ્ઞાનીઓ કોઈ ગુણહીન મુમુક્ષુનું પણ જાહેર કે અંગતમાં અપમાન કરતાં નથી.

(૨૦) જ્ઞાનીઓ પોતાના ચરિત્રનાં દોષોને છુપાવવા અસત્ય વચન બોલતાં નથી.

(૨૧) સહેજે થતાં ચારિત્રદોષો થતાં પકડાઈ જવાય તો જ્ઞાનીઓ અન્ય ઉપર દોષનો ટોપલો
નાંખતા નથી
(૨૨) દોષ દેખાડનાર વ્યક્તિ ઉપર જ્ઞાનીઓ દ્વેષ કે ક્રોધ કરતાં નથી.

(૨૩) જ્ઞાનીઓ પોતે નિંદા કરતાં નથી.

(૨૪) જ્ઞાનીઓ પોતે કોઈ જીવ પપ્રત્યે સારો કે નરસો અભિપ્રાય રાખતાં નથી, ગાંઠ વળતાં નથી.

(૨૫) જ્ઞાનીઓ વીતરાગ દેવ - ગુરૂ - શાસ્ત્રનાં બહુમાન - ભક્તિ - પૂજાદિ ભાવોમાં વર્તે છે.

(૨૬) પોતાના સંગમાં આવનારાં જીવોને ‘મારી આજ્ઞામાં રહેશો તો કલ્યાણ થશે’ એવું જ્ઞાનીઓ
કહેતાં નથી. જેને લાભ થયો હશે તે સહેજે આજ્ઞામાં રહે તે બીજી વાત છે.
(૨૭) પોતાનો શિષ્ય અન્ય કુસંગ કે કુગુરૂને સેવે તો જ્ઞાનીઓ પોતે વ્યક્તિગત ના પડતાં નથી
પરંતુ કુસંગથી આત્માને કેવીરીતે હીટ થાય છે તે સમજાવે છે.

(૨૮) જ્ઞાનીઓ પોતાના વિરોધી પ્રત્યે દ્વેષ કરતાં નથી, બલ્કે કરૂણા વર્તે છે.

(૨૯) જ્ઞાનીઓને રાજ વિરૂધ્ધ કે લોકનિંદા થાય એવું કૃત્ય કરવાની ભાવના હોતી નથી.

(૩૦) પૂર્વકર્મનાં ઉદયવશ લોકનિંદ્ય કાર્ય થઇ જાય તો જ્ઞાનીઓને અસ્થિરતો અત્યંત ખેદ પણ
થઇ આવેછે તેમજ દોષોને છુપાવવાની કોશિશ પણ કરતાં નથી. (અપૂર્ણ)

No English rendering yet.