Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 72

અવલોકન ધારાવાહી ન ચાલે અથવા જીવ ક્યાં રોકાયેલો છે એ ભૂલ પણ સમજાય છતાં ભૂલને ગંભીરતાથી ન લેવામાં આવે તો તીવ્ર દુઃખ ન લાગે. જો તીવ્ર દુઃખ ન લાગે તો અંતઃકરણની મલીનતા - તીવ્ર મોહભાવ - જીવને વર્તે છે એવું સાબિત કરવાની પણ જરૂર નથી. આવી પરિસ્થિતિમાં જીવે કોઈપણ ભોગે નિરંતર સત્સંગને ઉપાસવો જોઈએ. તેથી જ કૃપાળુદેવે પત્રાંક ૬૦૯માં સર્વ સાધનને ગૌણ જાણી સત્સંગને સર્વાર્પણ બુધ્ધિથી નિર્વાણ અર્થે ઉપાસવાનું ફરમાવ્યું છે.

No English rendering yet.