મહાન દિગંબર ભાવલીંગી આચાર્યદેવ શ્રી કુંદકુંદ ભગવાન સમ્યગ્દર્શનની ઉત્પત્તિનાં કરણમાં સંવર અધિકારની ૧૮૧-૧૮૨-૧૮૩ ગાથામાં ભેદવિજ્ઞાનને દર્શાવે છે.
જયારે પરમકૃપાળુદેવ પત્રાંક ૧૯૪માં દર્શાવે છે કે જે જ્ઞાનીનાં ચરણારવિંદ પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક્ પ્રતીતિને સેવે છે તે જ્ઞાની થાય.
ઉપરોક્ત બન્ને વિધાનોથી એમ જણાય કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ભેદવિજ્ઞાનથી થવાનો એક માર્ગ અને શ્રીગુરૂની ભક્તિ થી થવાનો બીજો માર્ગ એમ બે પ્રકારનો માર્ગ છે પરંતુ ખરેખર એમ નથી.
ભેદવિજ્ઞાનની વીધિ એટલી સૂક્ષ્મ છે કે શ્રીગુરૂની ભક્તિ વિના અને તેને લીધે સંયોગો - દુન્યવી સુખોનું આકર્ષણ - પ્રેમ છૂટ્યા વિના સમજાતી નથી. તેથી કૃપાળુદેવે ભેદજ્ઞાનની વીધિ સમજાય તે અર્થે તેની પુર્વભુમિકામાં શ્રીગુરૂની અનન્ય ભક્તિ સહજ હોય તેનું નિરૂપણ કર્યું છે. માર્ગ બે નથી પરંતુ માર્ગમાં એવો ક્રમ છે કે શ્રીગુરૂ પ્રત્યે ભક્તિ આવે તોજ ભેદજ્ઞાનની વીધિ સમજાય.
No English rendering yet.