અવલોકનમાં ચિત્ર વિચિત્ર ન ધારેલાં કરોડો ભાવો જણાય, રાગદ્વેષનાં પરિણામો જણાય ત્યારે મુમુક્ષુને એમ લાગે કે પહેલાં કરતા હું વધારે દોશી બની ગયો છું અને મારુ અવલોકન યથાર્થ ચાલતું નથી તેથી જ વિકલ્પોનો ધોધ વરસી રહયો છે. પરંતુ આ માન્યતા યથાર્થ નથી. કારણ કે આવા દોષો/વિચારો તો પ્રત્યેક ક્ષણે પોતે કરતો આવ્યો છે પરંતુ પહેલાં જાગૃતિ ન હતી દોષો પકડાતાં ન હતાં. હવે ઉલટાનું અવલોકન બરાબર ચાલે છે અને જાગૃતિનાં કારણે મોહ-રસ મંદ થઇ જ્ઞાન નિર્મળ થયું છે તેથી દોષો/વિકલ્પોનો ધોધ જણાય છે. હવે, પોતાની સંસારની વાસ્તવિક સ્થિતિનું યથાર્થ ભાન થઇ રહ્યું છે. તેથી પોતાના વિશે જુઠ્ઠો અભિપ્રાય બાંધી ન લેવો. શંકા પડે તો શ્રીગુરૂ પાસે યથાર્થ માર્ગદર્શન લઇ લેવું. પોતાના જીવનની ચોપડી ખુલ્લી કરી દેવી.
No English rendering yet.