આત્મપ્રાપ્તિની ભાવનાવાળો જીવ પોતાનાં દોષોનું અવલોકન કરે છે ત્યારે નીચે પ્રમાણે પોતાના અભ્યાસનું વ્યક્ત પરિણામ બતાવે છે.
૧) ભાવો પકડાતાં હતાં પણ અત્યારે યાદ નથી.
૨) ભાવો પકડાતાં નથી.
૩) ભાવો આવતાં જ નથી.
ઉપરોક્ત ત્રણ પરિણામોમાંથી જેને તીવ્ર જ્ઞાનાવરણીય કર્મનું આવરણ નિમિતરૂપે વર્તે છે તેને ક્યા ભાવો હતા તે વ્યક્ત કરતી વખતે યાદ નથી હોતું. આવા જીવે આત્મભાવના તીવ્ર કરી અભ્યાસ ચાલુ રાખવો. જેથી જેમ જેમ દર્શનમોહ ઘટશે તેમ તેમ જ્ઞાનઉપયોગ નિર્મળ થાતો જાશે અને નિર્મળતામાં ભાવો (અર્થાત દોષ) પકડાયા વિના નહીં રહે. અભ્યાસ કરતાં ઉપરની બનેં મૂંઝવણ દૂર થાશે.
જ્યારે ભાવો આવતાં જ નથી એમ કહેનાર જીવે સાચો પ્રયત્ન જ કર્યો નથી. કાં તો એને અવલોકન વિધિ સમજાણી નથી અને કાં તો એને સાચી આત્મભાવના નથી. કેમકે ભાવો સતત ન આવે તો પરમાત્મદશા હોત અને આંશિક ન આવે તો નિર્વિકલ્પ શાંતિનું વેદન-સાધક દશા-હોત.
આમ આ જીવ જીનવાણીની વિરાધના કરી દર્શનમોહને વધારે છે. તેથી ચેતવા જેવું છે.
No English rendering yet.