૯-૮-૯૭ના શ્રી મહેશભાઈ (માટુંગા) સાથેની સવારનાં ૯ વાગ્યાની ચર્ચામાં આવેલો ન્યાય.
જેમ જેમ નિષ્પક્ષપાતે વર્તમાન ચાલતાં ઉદયનાં પરિણામોનાં અવલોકનનો અભ્યાસ વધતો જાય તેમ તેમ વિકલ્પો ઓછાં થાય, મંદ થાય અને એક સમય એવો આવે કે જોવાનું ચાલુ રહે છતાં સામે કાંઈ જ ન દેખાય. કાંઈ જ ન જણાય એવી સ્થિતિ આવે, જ્ઞાનદર્પણ પ્રતિબિંબ (જ્ઞેય) વિનાનું ભાસે.
આત્મા જણાતો નથી કારણ કે (૧) જીવ સ્વતરફ જોતો નથી (૨) જ્ઞાનદર્પણ વિકલ્પોથી આચ્છાદિત છે પરંતુ અવલોકનનાં સતત અભ્યાસથી જયારે શૂન્ય સ્થિતિ આવે ત્યારે ગુલાંટ ખાઈને જ્ઞાનદર્પણ ને જોતાં જ્ઞાન સ્વયઁ પોતે પોતાને સરળતાથી જોઈ શકે છે અથવા બે વિકલ્પો વચ્ચે એકાદ સમયનો આંતરો પડી જાય અને જ્ઞાનદર્પણને જોવાનો તીવ્ર દૃષ્ટિકોણ હોયતો તુરંત સ્વભાવઅંશ દ્દેખાય અને આંશિક સ્વસંવેદસનપૂર્વક ભાવભાસન થાય. ભાવભાસન થાય એ અપૂર્વ ઘટના છે. હવે નિર્વિકલ્પ સ્વાનુભવ અસંખ્ય પ્રદેશે સ્વસંવેદનપૂર્વક અલ્પકાળમાં થશે જ. હવે સંપૂર્ણ સલામતી છે કારણ કે સ્વરૂપ અસ્તિત્વ ભાસ્યું છે.
No English rendering yet.