Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 162

જેવી રીતે મુમુક્ષુને ચાલતાં પરિણામોનું અવલોકન કરતાં નિર્દોષતાનું ઘ્યેય હોવાથી આત્માનાં ઊંડાણથી સહજ દુઃખ અનુભવાય અને મૂંઝારો થાય છે.

તેવી રીતે અવિરત સમ્યગદૃષ્ટિ ચારિત્રમોહને નાથવા પરિણામોનું અવલોકન કરવાનો પુરૂષાર્થ સહજ કરે તો પરિણામથી એકત્વ છૂટી ગયું હોવાથી જરાપણ દુઃખ અનુભવાતું નથી છતાં ત્યાં એક ચમત્કાર જરૂર થાય છે કે અવલોકન સહજમાં ચૂંટીને ત્વરાથી દ્રવ્યનાં મહિમાપૂર્વક સ્વસંવેદન અનુભૂતિ થાય છે. જે વેદનના અભ્યાસથી ચારિત્ર મોહ આપમેળે મંદ - મંદતર દશાને પામે છે.

No English rendering yet.